-
અનામત અને ખેડૂતોના પ્રશ્ને આમરણ ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલે ઉપવાસના નવમાં દિવસે એકાએક જાહેર કર્યું કે ઉપવાસ દરમ્યાન જો તેમનું મોત થાય તો તેમની આંખો દાનમાં આપી દેજો. આ ઉપરાંત તેમના ટેકેદારો દ્વારા આજે હાર્દિક પટેલનનું વસિયતનામુ પણ જાહેર કરાયું છે જેમાં તેમની પાસે 50 હજારની મૂડી છે. તેમાંથી અમુક રકમ માતા અને બહેનને તથા બાકીની રકમ શહીદ પરિવારને આપવા જાહેર કરાયું ચે. આ પ્રકારની જાહેરાતો, સૂત્રોના મતે કાં તો હાર્દિકની તબિયત લથડી રહી છે યા તો સરકાર પર દબાણ લાવવા માટે કરવામાં આવી હોય તેમ લાગી રહ્યું છે. જો કે સરકારે કો તેની સાથે સમાધાન કરવાની ચોખ્ખી ના પાડી છે. તેમ છતાં સરકારના મંત્રી કુંવરજી બાવળિયાએ હાર્દિકના ઉપવાસને સંવેદનશીલ મુદ્દો ગણાવ્યો છે અને તેની માંગ સત્વરે ઉકેલાય તે જરૂરી છે એમ પણ જણાવ્યું છે.
-
અનામત અને ખેડૂતોના પ્રશ્ને આમરણ ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલે ઉપવાસના નવમાં દિવસે એકાએક જાહેર કર્યું કે ઉપવાસ દરમ્યાન જો તેમનું મોત થાય તો તેમની આંખો દાનમાં આપી દેજો. આ ઉપરાંત તેમના ટેકેદારો દ્વારા આજે હાર્દિક પટેલનનું વસિયતનામુ પણ જાહેર કરાયું છે જેમાં તેમની પાસે 50 હજારની મૂડી છે. તેમાંથી અમુક રકમ માતા અને બહેનને તથા બાકીની રકમ શહીદ પરિવારને આપવા જાહેર કરાયું ચે. આ પ્રકારની જાહેરાતો, સૂત્રોના મતે કાં તો હાર્દિકની તબિયત લથડી રહી છે યા તો સરકાર પર દબાણ લાવવા માટે કરવામાં આવી હોય તેમ લાગી રહ્યું છે. જો કે સરકારે કો તેની સાથે સમાધાન કરવાની ચોખ્ખી ના પાડી છે. તેમ છતાં સરકારના મંત્રી કુંવરજી બાવળિયાએ હાર્દિકના ઉપવાસને સંવેદનશીલ મુદ્દો ગણાવ્યો છે અને તેની માંગ સત્વરે ઉકેલાય તે જરૂરી છે એમ પણ જણાવ્યું છે.