Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • ગુજરાતમાં છેલ્લાં કેટલાક દિવસથી રેપની એક ઘટનાને લઇને ઉત્તર ભારતીયો પર થઈ રહેલા હુમલાઓ સંદર્ભે સ્થિતિ કેટલી ગંભીર છે કે આજે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાને એક પત્રકાર પરિષદ યોજવાની ફરજ પડી હતી. ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, ભાઇચારાની ભાવનાને બળવત્તર બનાવી રાજ્ય બહારથી ધંધા-રોજગાર અર્થે આવેલા નાગરિકોને સધિયારો આપવો જોઇએ. રાજ્યમાં શાંતિ-સલામતી અને ભાઇચારાની ભાવના કેળવીને નાગરિકોને શાંતિ જાળવવા રાજ્ય સરકાર અપીલ કરી રહી છે. રાજ્ય સરકાર શાંતિ- સલામતી અને સુરક્ષા સામે અવરોધ પેદા કરનારા તત્વો સામે કડક હાથે પગલાં લેતા અચકાશે નહીં. આ મામલે અત્યાર સુધીમાં રાજ્યમાં 56 ગુના દાખલ કરી 431 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. હાલ 17 એસ.આર.પી. કંપનીઓ તૈનાત છે અને રાજ્યના મુખ્ય સચિવ, પોલીસ વડા અને જિલ્લા કલેક્ટરો સાથે સંકલન કરી સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

  • ગુજરાતમાં છેલ્લાં કેટલાક દિવસથી રેપની એક ઘટનાને લઇને ઉત્તર ભારતીયો પર થઈ રહેલા હુમલાઓ સંદર્ભે સ્થિતિ કેટલી ગંભીર છે કે આજે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાને એક પત્રકાર પરિષદ યોજવાની ફરજ પડી હતી. ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, ભાઇચારાની ભાવનાને બળવત્તર બનાવી રાજ્ય બહારથી ધંધા-રોજગાર અર્થે આવેલા નાગરિકોને સધિયારો આપવો જોઇએ. રાજ્યમાં શાંતિ-સલામતી અને ભાઇચારાની ભાવના કેળવીને નાગરિકોને શાંતિ જાળવવા રાજ્ય સરકાર અપીલ કરી રહી છે. રાજ્ય સરકાર શાંતિ- સલામતી અને સુરક્ષા સામે અવરોધ પેદા કરનારા તત્વો સામે કડક હાથે પગલાં લેતા અચકાશે નહીં. આ મામલે અત્યાર સુધીમાં રાજ્યમાં 56 ગુના દાખલ કરી 431 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. હાલ 17 એસ.આર.પી. કંપનીઓ તૈનાત છે અને રાજ્યના મુખ્ય સચિવ, પોલીસ વડા અને જિલ્લા કલેક્ટરો સાથે સંકલન કરી સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ