Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પીએમ મોદીએ શનિવારે યુપીનાં સીતાપુર, કન્નોજ અને હરદોઈમાં સભા અને રેલીને સંબોધી હતી જેમાં સપા- બસપા અને આરએલડીનાં ગઠબંધન અને કોંગ્રેસને આડે હાથ લીધા હતા. મોદીએ તેજાબી ચાબખાં મારતા કહ્યું કે સપા અને બસપા ગામના ગુંડાઓને ગુંડાગીરી કરતા રોકી શક્યા નથી તેઓ આતંકીઓને શું રોકવાના? તેઓ કયા મુદ્દા પર વોટ માગશે તેની તેમને જ સમજ પડતી નથી. બુઆ-બબુઆની દુકાન પર તાળાં લગાવ્યા તો હવે તેમણે મહામિલાવટનું નવું કાઉન્ટર ખોલી દીધું છે. કોંગ્રેસ જમ્મુ- કાશ્મીરમાંથી સેનાને હટાવવા માગે છે. તે દેશદ્રોહના ગુનાને પણ હટાવવા માગે છે. શું આવી માનસિકતા ધરાવતા લોકો દેશમાં આતંકવાદ અને નક્સલવાદને હટાવી શકશે ખરા? વિપક્ષના નેતાઓ થોડા સમય પહેલાં એકબીજાના ચહેરા જોવા તૈયાર ન હતા તેઓ આજે ચૂંટણી જીતવા એક થયા છે. સપા અને બસપાએ જ દેશમાં નાત- જાતનાં વાડા ઊભા કર્યા છે અને હવે તેઓ જ આ ચક્રવ્યૂહમાં ફસાયા છે. મોદીએ ગામેગામ અને શહેરોમાં પૂરા હિંદુસ્તાન ચોકીદારનો નારો આપ્યો હતો.

પીએમ મોદીએ શનિવારે યુપીનાં સીતાપુર, કન્નોજ અને હરદોઈમાં સભા અને રેલીને સંબોધી હતી જેમાં સપા- બસપા અને આરએલડીનાં ગઠબંધન અને કોંગ્રેસને આડે હાથ લીધા હતા. મોદીએ તેજાબી ચાબખાં મારતા કહ્યું કે સપા અને બસપા ગામના ગુંડાઓને ગુંડાગીરી કરતા રોકી શક્યા નથી તેઓ આતંકીઓને શું રોકવાના? તેઓ કયા મુદ્દા પર વોટ માગશે તેની તેમને જ સમજ પડતી નથી. બુઆ-બબુઆની દુકાન પર તાળાં લગાવ્યા તો હવે તેમણે મહામિલાવટનું નવું કાઉન્ટર ખોલી દીધું છે. કોંગ્રેસ જમ્મુ- કાશ્મીરમાંથી સેનાને હટાવવા માગે છે. તે દેશદ્રોહના ગુનાને પણ હટાવવા માગે છે. શું આવી માનસિકતા ધરાવતા લોકો દેશમાં આતંકવાદ અને નક્સલવાદને હટાવી શકશે ખરા? વિપક્ષના નેતાઓ થોડા સમય પહેલાં એકબીજાના ચહેરા જોવા તૈયાર ન હતા તેઓ આજે ચૂંટણી જીતવા એક થયા છે. સપા અને બસપાએ જ દેશમાં નાત- જાતનાં વાડા ઊભા કર્યા છે અને હવે તેઓ જ આ ચક્રવ્યૂહમાં ફસાયા છે. મોદીએ ગામેગામ અને શહેરોમાં પૂરા હિંદુસ્તાન ચોકીદારનો નારો આપ્યો હતો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ