પીએમ મોદીએ રવિવારે દેહરાદૂનમાં ઇન્વેસ્ટર્સ સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું. મોદીએ કહ્યું કે હું જ્યારે સીએમ હતો ત્યારે મારી ઇચ્છા ગુજરાતને સાઉથ કોરિયા બનાવવાની હતી, તેનું એક કારણ એ હતું કે બંનેની વસતી સરખી હતી અને બંને દરિયાકિનારા પર આવેલાં હતાં, જોકે આ દિશામાં પ્રયાસો ચાલુ જ રહેશે. ભાજપ સરકારે દેશમાં કરવેરા સિસ્ટમમાં ધરખમ સુધારા કર્યા છે અને સુધારાની આ પ્રક્રિયા સતત ચાલુ રાખવામાં આવી છે. અમે તેને વધુ ઝડપી અને પારદર્શક બનાવી રહ્યા છીએ. ઇન્સોલ્વન્સી અને બેન્કરપ્સી કોડને કારણે દેશમાં વેપાર કરવાનું હવે આસાન બન્યું છે.
પીએમ મોદીએ રવિવારે દેહરાદૂનમાં ઇન્વેસ્ટર્સ સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું. મોદીએ કહ્યું કે હું જ્યારે સીએમ હતો ત્યારે મારી ઇચ્છા ગુજરાતને સાઉથ કોરિયા બનાવવાની હતી, તેનું એક કારણ એ હતું કે બંનેની વસતી સરખી હતી અને બંને દરિયાકિનારા પર આવેલાં હતાં, જોકે આ દિશામાં પ્રયાસો ચાલુ જ રહેશે. ભાજપ સરકારે દેશમાં કરવેરા સિસ્ટમમાં ધરખમ સુધારા કર્યા છે અને સુધારાની આ પ્રક્રિયા સતત ચાલુ રાખવામાં આવી છે. અમે તેને વધુ ઝડપી અને પારદર્શક બનાવી રહ્યા છીએ. ઇન્સોલ્વન્સી અને બેન્કરપ્સી કોડને કારણે દેશમાં વેપાર કરવાનું હવે આસાન બન્યું છે.