કેન્દ્રીય પ્રધાનમંડળે બુધવારે લઘુતમ ટેકાના ભાવ પર નવી ખરીદનીતિને મંજૂરી આપી દીધી છે. નવી નીતિની એક સ્કીમ અનુસાર જો તેલીબિયાંના બજારભાવ કરતાં લઘુતમ ટેકાના ભાવ ગગડી જશે તો તેલીબિયાં પકવતા ખેડૂતોને વળતર ચૂકવાશે. રાજ્યો કૃષિઉત્પાદનોની ખરીદી માટે ખાનગી કંપનીઓને પરવાનગી આપી શકશે. બુધવારે વડા પ્રધાન મોદીનાં નેતૃત્વમાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવાયો હતો. ૨૦૧૮-૧૯નાં બજેટમાં સરકારે ખેડૂતો માટે લઘુતમ ટેકાના ભાવ સુનિશ્ચિત કરવાની નવી સજ્જડ વ્યવસ્થા ઊભી કરવાની જાહેરાત કરી હતી.
કેન્દ્રીય પ્રધાનમંડળે બુધવારે લઘુતમ ટેકાના ભાવ પર નવી ખરીદનીતિને મંજૂરી આપી દીધી છે. નવી નીતિની એક સ્કીમ અનુસાર જો તેલીબિયાંના બજારભાવ કરતાં લઘુતમ ટેકાના ભાવ ગગડી જશે તો તેલીબિયાં પકવતા ખેડૂતોને વળતર ચૂકવાશે. રાજ્યો કૃષિઉત્પાદનોની ખરીદી માટે ખાનગી કંપનીઓને પરવાનગી આપી શકશે. બુધવારે વડા પ્રધાન મોદીનાં નેતૃત્વમાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવાયો હતો. ૨૦૧૮-૧૯નાં બજેટમાં સરકારે ખેડૂતો માટે લઘુતમ ટેકાના ભાવ સુનિશ્ચિત કરવાની નવી સજ્જડ વ્યવસ્થા ઊભી કરવાની જાહેરાત કરી હતી.