અલ્હાબાદમાં દલિત વિદ્યાર્થીના અપમૃત્યુ પછી તોફાન ફાટી નિકળ્યાની ઘટના સામે આવી છે. એક રેસ્ટોરાંમાં દિલીપ સરોજ નામના દલિત વિદ્યાર્થીને વેઇટરોએ મારતાં તે કોમામાં હતો અને સોમવારે તેનું મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતાં અલ્હાબાદ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને કેટલીક બસોને આગ ચાંપી હતી. પોલીસે આ સંદર્ભે તપાસ શરૂ કરી બંદોબસ્ત ગોઠવ્યો છે.