-
કાશ્મીરમાં શ્રીનગરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લવાયેલા ખૂંખાર આતંકી નાવેદ જટને ભગાડી જવાના કિસ્સામાં પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. આ આતંકીને સારવાર માટે લાવવામાં આવ્યો ત્યારે અગાઉથી જ હોસ્પિટલમાં છુપાયેલા તેના સાથી આતંકીઓએ પોલીસ પર ગોળીબાર કરીને તેને ભગાડી જવામાં સફળ થયા હતા. આતંકીઓના ગોળીબારમાં બે પોલીસકર્મીઓના મોત થયા હતા. પોલીસે નાવેદને જે વાહનમાં બેસાડીને ભગાડી જવાયો તે વાહનો પણ જપ્ત કરાયા છે. આ ઘટનામાં સ્થાનિક પોલીસના કેટલાક કર્મીઓ આતંકીઓ સાથે સંપર્કમાં હોવાનું માનવવામાં આવી રહ્યું છે.
-
કાશ્મીરમાં શ્રીનગરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લવાયેલા ખૂંખાર આતંકી નાવેદ જટને ભગાડી જવાના કિસ્સામાં પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. આ આતંકીને સારવાર માટે લાવવામાં આવ્યો ત્યારે અગાઉથી જ હોસ્પિટલમાં છુપાયેલા તેના સાથી આતંકીઓએ પોલીસ પર ગોળીબાર કરીને તેને ભગાડી જવામાં સફળ થયા હતા. આતંકીઓના ગોળીબારમાં બે પોલીસકર્મીઓના મોત થયા હતા. પોલીસે નાવેદને જે વાહનમાં બેસાડીને ભગાડી જવાયો તે વાહનો પણ જપ્ત કરાયા છે. આ ઘટનામાં સ્થાનિક પોલીસના કેટલાક કર્મીઓ આતંકીઓ સાથે સંપર્કમાં હોવાનું માનવવામાં આવી રહ્યું છે.