સીબીઆઈ જજ બ્રિજગોપાલ લોયા અને તેમના બે સહયોગીનાં મૃત્યુના કેસમાં નિષ્પક્ષ તપાસની માગણી સાથે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનાં નેતૃત્વમાં ૧૫ રાજકીય પક્ષના પ્રતિનિધિમંડળે શુક્રવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મુલાકાત લીધી હતી. વિરોધપક્ષના નેતાઓએ ૧૧૫ જેટલા સાંસદોએ હસ્તાક્ષર કરેલા આવેદનપત્ર સોંપતાં માગણી કરી હતી કે સુપ્રીમ કોર્ટના સીટિંગ ન્યાયમૂર્તિનાં નેતૃત્વમાં વિશેષ તપાસ ટીમ(સીટ)ની રચના કરીને કેસની તપાસ કરાવવામાં આવે.
સીબીઆઈ જજ બ્રિજગોપાલ લોયા અને તેમના બે સહયોગીનાં મૃત્યુના કેસમાં નિષ્પક્ષ તપાસની માગણી સાથે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનાં નેતૃત્વમાં ૧૫ રાજકીય પક્ષના પ્રતિનિધિમંડળે શુક્રવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મુલાકાત લીધી હતી. વિરોધપક્ષના નેતાઓએ ૧૧૫ જેટલા સાંસદોએ હસ્તાક્ષર કરેલા આવેદનપત્ર સોંપતાં માગણી કરી હતી કે સુપ્રીમ કોર્ટના સીટિંગ ન્યાયમૂર્તિનાં નેતૃત્વમાં વિશેષ તપાસ ટીમ(સીટ)ની રચના કરીને કેસની તપાસ કરાવવામાં આવે.