ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે બે દિવસના ભારત પ્રવાસના બીજા દિવસે પણ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ તમિલનાડુના કોવલમમાં આવેલી તાજ ફિશરમેન કૉવ રિસોર્ટમાં વન ટુ વન મીટિંગ કરી હતી. ત્યારપછી મોદી અને જિનપિંગ વચ્ચે પ્રતિનિધિ સ્તરની ચર્ચા થઈ હતી. તેમાં વિદેશ મંત્રી એસ જયશંકર અને એનએસએ અજીત ડોભાલ પણ હાજર રહ્યા હતા. બંને નેતાઓ વચ્ચે રાજકીય કોમ્યુનિકેશન વધારવા ઉપર પણ ભાર આપવામાં આવ્યો હતો. આ સિવાય વેપાર, રોકાણ અને સેવાઓ પર ચર્ચા વિશે નવું મેકેનિઝ્મ તૈયાર કરવા વિશે વાત કરવામાં વિશે વાત થઈ હતી.
આ દરમિયાન વડાપ્રધાન મોદી અને જિનપિંગે એક એક્ઝિબિશનમાં પણ ભાગ લીધો હતો. મોદીએ જિનપિંગને તેમની તસવીર વાળી શૉલ ગિફ્ટ કરી છે. શી જિનપિંગ ચીન જવા રવાના થઈ ગયા છે અને તેમણે વડાપ્રધાન મોદીને ત્રીજી ઔપચારિક બેઠક માટે ચીન આવવા આમંત્રણ આપ્યું છે, જે વડાપ્રધાને સ્વીકારી પણ લીધું છે.
મોદીએ આજે ચીની રાષ્ટ્રપતિના સન્માનમાં બપોરે લંચ રાખ્યું હતું. નોંધનીય છે કે મોદી ગયા વર્ષે એપ્રિલમાં પહેલી અનઔપચારિક બેઠક માટે ચીનના વુહાન ગયા હતા. બંને નેતાઓ બેંકોકમાં 31 ઓક્ટોબરથી 4 નવેમ્બર સુધી થનારી આસિયાન સમિટમાં પણ ભાગ લેશે.
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે બે દિવસના ભારત પ્રવાસના બીજા દિવસે પણ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ તમિલનાડુના કોવલમમાં આવેલી તાજ ફિશરમેન કૉવ રિસોર્ટમાં વન ટુ વન મીટિંગ કરી હતી. ત્યારપછી મોદી અને જિનપિંગ વચ્ચે પ્રતિનિધિ સ્તરની ચર્ચા થઈ હતી. તેમાં વિદેશ મંત્રી એસ જયશંકર અને એનએસએ અજીત ડોભાલ પણ હાજર રહ્યા હતા. બંને નેતાઓ વચ્ચે રાજકીય કોમ્યુનિકેશન વધારવા ઉપર પણ ભાર આપવામાં આવ્યો હતો. આ સિવાય વેપાર, રોકાણ અને સેવાઓ પર ચર્ચા વિશે નવું મેકેનિઝ્મ તૈયાર કરવા વિશે વાત કરવામાં વિશે વાત થઈ હતી.
આ દરમિયાન વડાપ્રધાન મોદી અને જિનપિંગે એક એક્ઝિબિશનમાં પણ ભાગ લીધો હતો. મોદીએ જિનપિંગને તેમની તસવીર વાળી શૉલ ગિફ્ટ કરી છે. શી જિનપિંગ ચીન જવા રવાના થઈ ગયા છે અને તેમણે વડાપ્રધાન મોદીને ત્રીજી ઔપચારિક બેઠક માટે ચીન આવવા આમંત્રણ આપ્યું છે, જે વડાપ્રધાને સ્વીકારી પણ લીધું છે.
મોદીએ આજે ચીની રાષ્ટ્રપતિના સન્માનમાં બપોરે લંચ રાખ્યું હતું. નોંધનીય છે કે મોદી ગયા વર્ષે એપ્રિલમાં પહેલી અનઔપચારિક બેઠક માટે ચીનના વુહાન ગયા હતા. બંને નેતાઓ બેંકોકમાં 31 ઓક્ટોબરથી 4 નવેમ્બર સુધી થનારી આસિયાન સમિટમાં પણ ભાગ લેશે.