ઉત્તરપ્રદેશના કાસગંજમાં હિંસક અથડામણ પછીની પરિસ્થિતિ હજુ કાબૂમાં નહીં આવતા આજે રવિવારે ઈન્ટરનેટ સેવા બંધ કરવાનો નિર્ણય તંત્રે કર્યો છે. રવિવાર રાત્રે 10 વાગ્યા સુધી કાસગંજમાં ઈન્ટરનેટ બંધ રહેશે. નોંધનીય છે કે પ્રજાસતાક દિવસ પર તિરંગા યાત્રા દરમ્યાન બે પક્ષો વચ્ચે થયેલ હિંસક અથડામણમાં એકનું મોત થયું હતું અને કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા હતા.