સુરક્ષા દળોએ ગુરુવારે ત્રણ અલગ અલગ અથડામણમાં જૈશ-એ-મહમદના આઠ ત્રાસવાદીને ઠાર માર્યા હતા. જમ્મુ- કાશ્મીરના બારામૂલાના સોપોર ખાતે સુરક્ષાદળોએ બે ત્રાસવાદીઓને ઠાર માર્યા હતા. ગઈરાતે શરૂ થયેલી અથડામણ છ કલાક સુધી ચાલી હતી. રાજ્ય પોલીસે અગાઉ જણાવ્યું હતું કે ત્રાસવાદીઓ રહેણાક વિસ્તારમાં ઘેરાઈ ગયા હતા. સોપોરમાં મોબાઇલ ઇન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું હતું. વિસ્તારની શિક્ષણસંસ્થાઓ પણ ગુરુવારે બંધ રાખવામાં આવી હતી.
સુરક્ષા દળોએ ગુરુવારે ત્રણ અલગ અલગ અથડામણમાં જૈશ-એ-મહમદના આઠ ત્રાસવાદીને ઠાર માર્યા હતા. જમ્મુ- કાશ્મીરના બારામૂલાના સોપોર ખાતે સુરક્ષાદળોએ બે ત્રાસવાદીઓને ઠાર માર્યા હતા. ગઈરાતે શરૂ થયેલી અથડામણ છ કલાક સુધી ચાલી હતી. રાજ્ય પોલીસે અગાઉ જણાવ્યું હતું કે ત્રાસવાદીઓ રહેણાક વિસ્તારમાં ઘેરાઈ ગયા હતા. સોપોરમાં મોબાઇલ ઇન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું હતું. વિસ્તારની શિક્ષણસંસ્થાઓ પણ ગુરુવારે બંધ રાખવામાં આવી હતી.