ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામ પછી(ઈવીએમ) અંગે પૂર્વ મુખ્યમંત્રી માયાવતી અને અખિલેશ યાદવે પ્રશ્ન ઉઠાવ્યા બાદ હવે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પણ ઈવીએમ અગે શંકા દર્શાવી છે. અને દિલ્હી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઈવીએમને બદલે બેલેટ પેપર મતદાન કરવા માટે માગ કરી હતી. પરંતુ ચૂટણી પંચે મંગળવારે જ ચૂંટણી જાહેર કરી દીધી છે. અને સ્પષ્ટ કર્યું છે કે મતદાન ઈવીએમથી જ થશે.