અહીંયા અરવિંદ કેજરીવાલની ચૂંટણી રેલીમાં લોકોએ મોદી-મોદીના નારા લગાવ્યા. ત્યારબાદ કેજરીવાલે સ્પીચમાં કહ્યું, “જો મોદીનું નામ લેવાથી વીજળીના ભાવ ઘટી જતા હોય તો હું પણ મોદી-મોદીની બૂમો પાડું.” હાલમાં કેજરીવાલ MCD ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. 3 એમસીડીના 272 વોર્ડમાં 23 એપ્રિલે ચૂંટણી થશે, તેનું પરિણામ 26 એપ્રિલે આવશે.