જયપુર અતરૌલી ઘરાનાના ટોચના ગાયિકા શ્રીમતી કિશોરી આમોનકરનુ લંબી માંદગી પછી અવસાન થયાના સમાચારે ભારતીય શાસ્ત્રીય સંગીત વિશ્વમાં સોપો પાડી દીધો હતો.
કિશોરીતાઇ ૮૪ વર્ષનાં હતાં. તેમણે પોતાની સંગીતની તાલીમ સાવ કૂમળી વયે પોતાની માતા અને જયપુર અતરૌલી ઘરાનાના દિગ્ગજ ઉસ્તાદ અલ્લાદિયા ખાનના શિષ્યા મોઘુબાઇ કૂર્ડીકર પાસે લીધી હતી.