ગુજરાત આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે રાજનાથસિંહે રાફેલ મુદ્દે કહ્યું કે, આરોપ સાબિત ના થાય ત્યાં સુધી આક્ષેપો કરવા અયોગ્ય છે, આ મુદ્દે સરકારે પણ સ્પષ્ટીકરણ આપી દીધુ છે. તેઓ અમરેલીમાં સહકારી સંસ્થાઓના કાર્યક્રમમાં હાજરી આપીને વડોદરા ખાતે પહોંચ્યા હતા. રાફેલ મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ મોદીને ઘેર્યા છે અને અનેક આક્ષેપ પણ કર્યા છે.