રાજ્યના મુખ્ય સચિવ જે એન સિંઘે પીવાના પાણી અને સિંચાઈના પાણી અંગે મહત્વની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે નર્મદા ડેમમાં પાણીના ઓછા જથ્થાને લઇને નર્મદા યોજનામાં સામેલ દરેક રાજ્યને એક વર્ષ સુધી પાણીનો ઓછો જથ્થો મળશે. નર્મદા કંટ્રોલ ઓથોરિટી સારું કામ કરી રહી છે. હાલ કરજણ ડેમમાંથી ત્રણ હજાર ક્યૂસેક પાણીનો જથ્થો છોડવાનું નક્કી કરાયું છે.