સમગ્ર દેશમાં નેશનલ અને સ્ટેટ હાઈ વે પર 500 મીટરના અંતરમાં આવેલી શરાબની દુકાનો બંધ કરવાના સુપ્રિમ કોર્ટના આદેશને પગલે સોમવારે તોફાન મચી ગયું છે. શરાબ પીરસતી રેસ્ટોરન્ટ અને હોટેલના માલિકોને પણ આ ચૂકાદાને ભારે નુકસાન સહન કરવું પડે તેમ હોવાને કારણે તેમણે સરકારનું શરણ લેવુ પડ્યું છે.