-
ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો માટે આજે 23મીએ એક જ તબક્કામાં મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે હાથ ધરાઇ હતી. સમગ્ર રાજ્યમાંથી ચૂંટણી સંબંધિત હિંસાનો કોઇ નોંધપાત્ર બનાવ નોંધાયો નથી. 26 બેઠકો માટે 4.5 કરોડ મતદારો નોંધાયા હતા. તેમાંથી અંદાજે પોણા ત્રણ કરોડ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. 51 હજાર જેટલા મતદાન મથકો પર મતદાન હાથ ધરાયું હતું. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગાંધીનગર બેઠકના ઉમેદવાર અમિત શાહ સહિત 371 ઉમેદારોનું ભાવિ આજે ઇવીએમમાં સીલ થઇ ગયું હતું. 23મી મેના રોજ પરિણામ જાહેર કરાશે. બરાબર એક મહિના પછી મતગણતરી હાથ ધરાશે. મતદાન થયું તે ઇવીએમ અને વીવીપીએટી મશીનો જે તે સ્ટ્રોંગ રૂમમાં એક મહિના સુધી કડક સલામતી વચ્ચે રાખવા પડશે.
-
ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો માટે આજે 23મીએ એક જ તબક્કામાં મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે હાથ ધરાઇ હતી. સમગ્ર રાજ્યમાંથી ચૂંટણી સંબંધિત હિંસાનો કોઇ નોંધપાત્ર બનાવ નોંધાયો નથી. 26 બેઠકો માટે 4.5 કરોડ મતદારો નોંધાયા હતા. તેમાંથી અંદાજે પોણા ત્રણ કરોડ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. 51 હજાર જેટલા મતદાન મથકો પર મતદાન હાથ ધરાયું હતું. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગાંધીનગર બેઠકના ઉમેદવાર અમિત શાહ સહિત 371 ઉમેદારોનું ભાવિ આજે ઇવીએમમાં સીલ થઇ ગયું હતું. 23મી મેના રોજ પરિણામ જાહેર કરાશે. બરાબર એક મહિના પછી મતગણતરી હાથ ધરાશે. મતદાન થયું તે ઇવીએમ અને વીવીપીએટી મશીનો જે તે સ્ટ્રોંગ રૂમમાં એક મહિના સુધી કડક સલામતી વચ્ચે રાખવા પડશે.