કરોડોના દેવામાં ડૂબેલી અને સોમવારે સરકાર દ્વારા જેનો વહીવટ સરકાર હસ્તક કરવામાં આવ્યો તેવી ઇન્ફ્રાસ્ટ્રકચર લીઝિંગ એન્ડ ફાઇનાન્શિયલ ર્સિવસિસ (IL&FS)નાં ચાર પૂર્વ ડિરેક્ટર્સ સામે દેશનાં એરપોર્ટ પરથી ભાગી ન જાય માટે લુકઆઉટ નોટિસ બજાવવામાં આવી છે. આ ચાર ડિરેક્ટર્સમાં રવિ પાર્થસારથી, વાઇસ ચેરમેન હરિ સંકરન, પૂર્વ એમડી રમેશ બાવા અને ડિરેક્ટર કે. રામચંદનો સમાવેશ થાય છે. સરકારે નેશનલ કંપની લો ટ્રિબ્યૂનલ (NCLT) સમક્ષ કરેલી અરજીમાં એવી શંકા વ્યક્ત કરી છે કે આ ચાર ડિરેક્ટર્સ રાતોરાત દેશ છોડીને ભાગી જવાની ફિરાકમાં છે. આથી તેમની સામે લુકઆઉટ નોટિસ બજાવવી જરૂરી છે. પાર્થસારથી હાલ લંડનમાં સારવાર લઈ રહ્યા છે જ્યારે અન્ય ડિરેક્ટર્સ દેશમાં જ છે.
કરોડોના દેવામાં ડૂબેલી અને સોમવારે સરકાર દ્વારા જેનો વહીવટ સરકાર હસ્તક કરવામાં આવ્યો તેવી ઇન્ફ્રાસ્ટ્રકચર લીઝિંગ એન્ડ ફાઇનાન્શિયલ ર્સિવસિસ (IL&FS)નાં ચાર પૂર્વ ડિરેક્ટર્સ સામે દેશનાં એરપોર્ટ પરથી ભાગી ન જાય માટે લુકઆઉટ નોટિસ બજાવવામાં આવી છે. આ ચાર ડિરેક્ટર્સમાં રવિ પાર્થસારથી, વાઇસ ચેરમેન હરિ સંકરન, પૂર્વ એમડી રમેશ બાવા અને ડિરેક્ટર કે. રામચંદનો સમાવેશ થાય છે. સરકારે નેશનલ કંપની લો ટ્રિબ્યૂનલ (NCLT) સમક્ષ કરેલી અરજીમાં એવી શંકા વ્યક્ત કરી છે કે આ ચાર ડિરેક્ટર્સ રાતોરાત દેશ છોડીને ભાગી જવાની ફિરાકમાં છે. આથી તેમની સામે લુકઆઉટ નોટિસ બજાવવી જરૂરી છે. પાર્થસારથી હાલ લંડનમાં સારવાર લઈ રહ્યા છે જ્યારે અન્ય ડિરેક્ટર્સ દેશમાં જ છે.