અમદાવાદ સહિત સમગ્ર ભારતમાં ખાસ કરીને ઉત્તર ભારતના રાજ્યો અને મહારાષ્ટ્રમાં વિશેષ રીતે આજે માતા પાર્વતી અને પિતા શિવજીના પુત્ર શ્રી ગણેશજીની મૂર્તિઓ પર અબીલ ગુલાલ ઉડાડીને વિધિવત ઢોલ નગારાં અને બેન્ડવાજા તથા ડીજેના તાલે ઝુમીને લાખો ધાર્મિક ભક્તજનો દ્વારા પોતાના ઘેર પધરામણી કરવામાં આવી હતી. હિન્દુ ધાર્મિક માન્યતા પ્રમાણે, ભાદરવા સુદ-ચોથ (ગણેશ ચતુર્થી)ના દિવસે વિઘ્નહર્તા ગણેશ ભગવાન અવતર્યા હતા. હિન્દુ ધર્મમાં ગણેશજીનું વિશેષ સ્થાન છે. કોઇપણ પૂજા-અર્ચન, હોમ હવન અને માંગલિક પ્રસંગમાં સૌથી પહેલા તેમની સ્થાપના અને પૂજન થાય છે. 10 દિવસ સુધી તેમને લાડથી મોદક અને લાડુ ધરાવીને 10મા દિવસે(અનંત ચતુર્દશી) નદી-તળાવ વગેરેમાં પધરાવી દેવાની પરંપરા રહી છે. 10 દિવસ સુધી ગામે ગામે અને મહોલ્લે મહોલ્લે ગણપતિ બાપ્પા મૌરયા....ની ગૂંજ સંભળાશે.
અમદાવાદ સહિત સમગ્ર ભારતમાં ખાસ કરીને ઉત્તર ભારતના રાજ્યો અને મહારાષ્ટ્રમાં વિશેષ રીતે આજે માતા પાર્વતી અને પિતા શિવજીના પુત્ર શ્રી ગણેશજીની મૂર્તિઓ પર અબીલ ગુલાલ ઉડાડીને વિધિવત ઢોલ નગારાં અને બેન્ડવાજા તથા ડીજેના તાલે ઝુમીને લાખો ધાર્મિક ભક્તજનો દ્વારા પોતાના ઘેર પધરામણી કરવામાં આવી હતી. હિન્દુ ધાર્મિક માન્યતા પ્રમાણે, ભાદરવા સુદ-ચોથ (ગણેશ ચતુર્થી)ના દિવસે વિઘ્નહર્તા ગણેશ ભગવાન અવતર્યા હતા. હિન્દુ ધર્મમાં ગણેશજીનું વિશેષ સ્થાન છે. કોઇપણ પૂજા-અર્ચન, હોમ હવન અને માંગલિક પ્રસંગમાં સૌથી પહેલા તેમની સ્થાપના અને પૂજન થાય છે. 10 દિવસ સુધી તેમને લાડથી મોદક અને લાડુ ધરાવીને 10મા દિવસે(અનંત ચતુર્દશી) નદી-તળાવ વગેરેમાં પધરાવી દેવાની પરંપરા રહી છે. 10 દિવસ સુધી ગામે ગામે અને મહોલ્લે મહોલ્લે ગણપતિ બાપ્પા મૌરયા....ની ગૂંજ સંભળાશે.