રાજ્યમાં મહારાષ્ટ્ર દિનનો ઉત્સવ ચાલી રહ્યો હતો ત્યારે ગઢચિરોલીના જાંબુરખેડા ગામમાં નક્સલવાદીઓએ કરેલા આઈઈડી બ્લાસ્ટમાં પેટ્રોલિંગ કરી રહેલા સી-૬૦ ટીમના 15 જવાન શહીદ થયાં હતા. બુધવારે સવારે સાડા અગિયાર વાગ્યે ક્વિક રિસ્પોન્સ ટીમ સી-૬૦ના જવાન વાહન દ્વારા કુરખેડા થઈને આગળ જઈ રહ્યા હતા. કુરખેડાથી ૬ કિ.મી.ના અંતરે જાંભુરખેડા ગામ નજીકના પુલ પર જવાનોનું ખાનગી વાહન પહોંચતા જ નક્સલીઓએ આઈઈડી સ્ફોટ કર્યો. આ બ્લાસ્ટમાં ૧૬ જવાનો શહીદ થઈ ગયા. ડ્રાઇવરનું પણ આ હુમલામાં મોત થયું હતું. આ વિસ્તારમાં કુલ ૨૦૦ નક્સલવાદીઓ છુપાઈને બેઠા હોવાની જાણકારી મળી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શોક પ્રગટ કરીને હુમલાનો જવાબ આપવાની ખાતરી આપી છે.
રાજ્યમાં મહારાષ્ટ્ર દિનનો ઉત્સવ ચાલી રહ્યો હતો ત્યારે ગઢચિરોલીના જાંબુરખેડા ગામમાં નક્સલવાદીઓએ કરેલા આઈઈડી બ્લાસ્ટમાં પેટ્રોલિંગ કરી રહેલા સી-૬૦ ટીમના 15 જવાન શહીદ થયાં હતા. બુધવારે સવારે સાડા અગિયાર વાગ્યે ક્વિક રિસ્પોન્સ ટીમ સી-૬૦ના જવાન વાહન દ્વારા કુરખેડા થઈને આગળ જઈ રહ્યા હતા. કુરખેડાથી ૬ કિ.મી.ના અંતરે જાંભુરખેડા ગામ નજીકના પુલ પર જવાનોનું ખાનગી વાહન પહોંચતા જ નક્સલીઓએ આઈઈડી સ્ફોટ કર્યો. આ બ્લાસ્ટમાં ૧૬ જવાનો શહીદ થઈ ગયા. ડ્રાઇવરનું પણ આ હુમલામાં મોત થયું હતું. આ વિસ્તારમાં કુલ ૨૦૦ નક્સલવાદીઓ છુપાઈને બેઠા હોવાની જાણકારી મળી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શોક પ્રગટ કરીને હુમલાનો જવાબ આપવાની ખાતરી આપી છે.