Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગંભીરા બ્રિજ ધરાશાયી થતાં 10 લોકો મોતને ભેટ્યા, સરકારની બે લાખની સહાય, પીએમ મોદીએ વ્યક્ત કર્યુ દુઃખ
વડોદરાથી એક મોટી દુર્ઘટના સામે આવી છે. અહીં પાદરા-જંબુસર વચ્ચેનો ગંભીરા પુલ તૂટી પડ્યો હતો, જેના કારણે અનેક વાહનો નદીમાં પડી ગયા હતા. જ્યારે એક ટ્રક પુલ પર લટકતી જોવા મળી હતી. ઘટનાની માહિતી મળતા જ વહીવટીતંત્રમાં ખળભળાટ મચી ગયો હતો. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો આ પુલ આણંદ અને વડોદરા જિલ્લાઓને જોડવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
આ દુર્ઘટનાના પગલે રાજ્ય સરકારે બે લાખની સહાય જાહેર કરી છે અને પીએમ મોદીએ પણ મૃતકોના કુટુંબીજનોને આશ્વાસન પાઠવ્યા છે અને આ દુર્ઘટના અંગે દુઃખ વ્યત કર્યુ છે. ઘેરા શોકની લાગણી કરી છે. તેની સાથે પ્રધાનમંત્રી સહાયનિધિમાંથી તાત્કાલિક 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ