અમદાવાદમાં પદ્માવત ફિલ્મના વિરોધમાં કાશ્મીર સ્ટાઈલ જોવા મળી રહી છે. નિકોલમાં રાજહંસ સિનેમા ઉપરાંત હિમાલયા મોલ અને એક્રોપોલીસ મોલ થલતેજ ખાતે પથ્થરમારો કરનારા અને આગ લગાવનારાઓએ મોઢા પર રુમાલ પર બાંધી રાખ્યા હતા. કાશ્મીરમાં પથ્થરમારો અને સેના પર હુમલો કરનારાઓ પણ આ પ્રકારે મો છુપાવી હુમલો કરે છે. અમદાવાદમાં કરણીસેનાના નામે કોણ હિંસા ફેલાવે છે તે તપાસનો વિષય છે.