પાંચ રાજ્યોની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં જંગી બહુમતી સાથે વિજય મેળવ્યા પછી ભાજપની સંસદીય બેઠક મળી હતી. મોદીએ બેઠકમાં સાંસદોને વિનમ્રતાના પાઠ ભણાવ્યા હતા. મોદીએ કડક શબ્દોમાં સાંસદોને કહ્યું હતું કે હું શાંતિથી બેસીશ પણ નહીં અને બેસવા દઈશ નહી. આમ તેમણે આડકતરી રીતે સંસદોને લોકો માટે કામ કરવા લાગી જવાનો આદેશ આપ્યો હતો.