લોકસભાની ચૂંટણીમાં મતદાનનાં ચાર તબક્કા પછી ભાજપ અને કોંગ્રેસ તેમજ વિપક્ષો વચ્ચે આક્ષેપો અને પ્રતિ આક્ષેપોનો મારો ચરમસીમાએ છે ત્યારે પીએમ મોદીની પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધી અંગેની ટિપ્પણીએ બળતામાં ઘી હોમ્યું છે. મોદીએ શનિવારે પૂર્વ પીએમ રાજીવ ગાંધી પર પ્રહારો કરતા કહ્યું હતું કે, રાજીવ ગાંધી મિસ્ટર ક્લીનની છાપ લઈને સત્તા પર આવ્યા હતા પણ તેમનો જીવનકાળ ભ્રષ્ટાચારી નંબર વન સાથે પૂરો થયો હતો. આ પછી રવિવારે રાજીવ ગાંધીના પુત્ર અને કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ભડક્યા હતા અને કોંગ્રેસ તેમજ ભાજપ વચ્ચે શાબ્દિક તડાતડી શરૂ થઈ ગઈ હતી. રાહુલે મોદી પર પલટવાર કરતા ટ્વિટ કર્યું હતું કે ,મોદીજી આપના કર્મો આપની રાહ જોઈ રહ્યા છે, મારા પિતા અંગે આપની અંગત માન્યતાથી આપ બચી નહીં શકો.
લોકસભાની ચૂંટણીમાં મતદાનનાં ચાર તબક્કા પછી ભાજપ અને કોંગ્રેસ તેમજ વિપક્ષો વચ્ચે આક્ષેપો અને પ્રતિ આક્ષેપોનો મારો ચરમસીમાએ છે ત્યારે પીએમ મોદીની પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધી અંગેની ટિપ્પણીએ બળતામાં ઘી હોમ્યું છે. મોદીએ શનિવારે પૂર્વ પીએમ રાજીવ ગાંધી પર પ્રહારો કરતા કહ્યું હતું કે, રાજીવ ગાંધી મિસ્ટર ક્લીનની છાપ લઈને સત્તા પર આવ્યા હતા પણ તેમનો જીવનકાળ ભ્રષ્ટાચારી નંબર વન સાથે પૂરો થયો હતો. આ પછી રવિવારે રાજીવ ગાંધીના પુત્ર અને કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ભડક્યા હતા અને કોંગ્રેસ તેમજ ભાજપ વચ્ચે શાબ્દિક તડાતડી શરૂ થઈ ગઈ હતી. રાહુલે મોદી પર પલટવાર કરતા ટ્વિટ કર્યું હતું કે ,મોદીજી આપના કર્મો આપની રાહ જોઈ રહ્યા છે, મારા પિતા અંગે આપની અંગત માન્યતાથી આપ બચી નહીં શકો.