સમાજવાદી પાર્ટીના સ્થાપક અને યુપીના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ રાજ્યમાં પાર્ટીને મળેલી હારથી ઘણા વ્યથિત છે. તેમણે કહ્યું કે જો ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીએ કોંગ્રેસની સાથે ગઠબંધન કર્યુ ન હોત તો રાજ્યમાં ફરી સપાની સરકાર બનતી. હોળીનો તહેવાર હોઈ વતન સૈફઈ પહોંચેલા મુલાયમ સિંહ યાદવે કહ્યું કે હાર માટે કોઈ જવાબદાર નથી.