ખોડલધામ-કાગવડના પ્રણેતા નરેશ પટેલે આજે બપોરે ઉપવાસી હાર્દિક પટેલને મળ્યા બાદ તેની સાથે થયેલી વાતચીત અંગે મિડિયાને કહ્યું કે હાર્દિકે પાટીદારો માટે અનામત,ખેડૂતોના દેવા માફ અને અલ્પેશ કથિરીયાની રાજદ્રોહના કેસમાંથી મુક્તિની માંગણીઓ ખોડલધામ અને ઉમિયાધામ સંસ્થાના આગેવાનો ભેગા થઇને સરકાર સમક્ષ મૂકે તે માટે સહમતિ આપી છે. નરેશ પટેલ આ બે સંસ્થાઓના આગેવાનો સાથે બેઠક યોજીને આજે સાંજે અથવા કાલે સરકાર સાથે મળીને રજૂઆત કરશે. પારણાં અંગે હાર્દિકે પોતે ક્યારે પારણાં કરશે તે નરેશ પટેલને કોઇ ચોક્કસ સમય આપ્યો નથી. પણ પારણાં કરવા તૈયાર થયો છે. હાર્દિક જ્યારે પારણાં કરવા તૈયાર થશે ત્યારે તેઓ નરેશ પટેલને અગાઉથી જાણ કરશે. અનામતની માંગણી કાયદાકીય ગૂંચવાળી હોવાથી સરકાર તે તાકીદે સ્વીકારી શકે તેમ નથી. પણ ખેડૂતોના દેવા માફી અને કથિરિયાની મુક્તિ અંગે સરકાર ચોક્કસ કોઇ નિરાકરણ લાવશે એમ નરેશ પટેલનું માનવું છે. હોસ્પિટલમાં તાકીદે દાખલ થવાની અપીલ નરેશ પટેલે હાર્દિકને કરી છે પરંતુ તે માટેની સંમતિ હાર્દિકે આપી નથી. નરેશ પટેલે હાર્દિકને ખાતરી આપી છે કે બન્ને ધાર્મિક સંસ્થાઓ તારી સાથે છે. અને સરકાર સમક્ષ જે માંગણીઓ મૂકી છે તે હાર્દિકની નથી પણ સમગ્ર સમાજની છે. તેથી સમાજના હિતમાં હાર્દિક ખૂબ ઝડપથી પારણાં કરે તેવી અંગત અને જાહેર અપીલ નરેશ પટેલે હાર્દિકને કરી છે. પોતે કોઇના કહેવાથી નહીં પણ હાર્દિકની કથળતી જતી તબિયતથી ચિંતિત થઇને તેમને મળવા આવ્યાં અને સરકાર સાથે વાત કરવા મધ્યસ્થી માટે તૈયાર થયાં છે, એમ પણ તેમણે એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું.
ખોડલધામ-કાગવડના પ્રણેતા નરેશ પટેલે આજે બપોરે ઉપવાસી હાર્દિક પટેલને મળ્યા બાદ તેની સાથે થયેલી વાતચીત અંગે મિડિયાને કહ્યું કે હાર્દિકે પાટીદારો માટે અનામત,ખેડૂતોના દેવા માફ અને અલ્પેશ કથિરીયાની રાજદ્રોહના કેસમાંથી મુક્તિની માંગણીઓ ખોડલધામ અને ઉમિયાધામ સંસ્થાના આગેવાનો ભેગા થઇને સરકાર સમક્ષ મૂકે તે માટે સહમતિ આપી છે. નરેશ પટેલ આ બે સંસ્થાઓના આગેવાનો સાથે બેઠક યોજીને આજે સાંજે અથવા કાલે સરકાર સાથે મળીને રજૂઆત કરશે. પારણાં અંગે હાર્દિકે પોતે ક્યારે પારણાં કરશે તે નરેશ પટેલને કોઇ ચોક્કસ સમય આપ્યો નથી. પણ પારણાં કરવા તૈયાર થયો છે. હાર્દિક જ્યારે પારણાં કરવા તૈયાર થશે ત્યારે તેઓ નરેશ પટેલને અગાઉથી જાણ કરશે. અનામતની માંગણી કાયદાકીય ગૂંચવાળી હોવાથી સરકાર તે તાકીદે સ્વીકારી શકે તેમ નથી. પણ ખેડૂતોના દેવા માફી અને કથિરિયાની મુક્તિ અંગે સરકાર ચોક્કસ કોઇ નિરાકરણ લાવશે એમ નરેશ પટેલનું માનવું છે. હોસ્પિટલમાં તાકીદે દાખલ થવાની અપીલ નરેશ પટેલે હાર્દિકને કરી છે પરંતુ તે માટેની સંમતિ હાર્દિકે આપી નથી. નરેશ પટેલે હાર્દિકને ખાતરી આપી છે કે બન્ને ધાર્મિક સંસ્થાઓ તારી સાથે છે. અને સરકાર સમક્ષ જે માંગણીઓ મૂકી છે તે હાર્દિકની નથી પણ સમગ્ર સમાજની છે. તેથી સમાજના હિતમાં હાર્દિક ખૂબ ઝડપથી પારણાં કરે તેવી અંગત અને જાહેર અપીલ નરેશ પટેલે હાર્દિકને કરી છે. પોતે કોઇના કહેવાથી નહીં પણ હાર્દિકની કથળતી જતી તબિયતથી ચિંતિત થઇને તેમને મળવા આવ્યાં અને સરકાર સાથે વાત કરવા મધ્યસ્થી માટે તૈયાર થયાં છે, એમ પણ તેમણે એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું.