હૈદરાબાદમાં વેલેન્ટાઈન ડેની ઉજવણી સામે બજરંગ દળે મનાઈ ફરમાવી છે. બજરંગદળના આ એલાનથી પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે. ગિફ્ટ વેચતી દુકાનોને પણ વેચાણ બંધ કરવા સુચના અપાઈ હોવાના અહેવાલ છે. શહેરમાં હિંસા ફેલાવાના ભયથી પોલીસ બંદોબસ્ત વધારી દેવાયો છે. બજરંગદળે પબ અને રેસ્ટોરાંમાં પણ વેલેન્ટાઈનની ઉજવણી નહીં કરતા તાકીદ કરી છે.