-
આખરે જેની રાહ જોવાતી હતી તે શાંતિ માટેના નોબેલ પુરસ્કારની જાહેરાત થઇ છે. અને કેટલીક અટકળો વચ્ચે તે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કે ઉત્તર કોરિયાના કિમ જોંગ-ઉનને મળ્યું નથી. શાંતિ માટેનું આ સન્માનિત પુરસ્કાર માટે ઓસ્લોમાં પાંચ સદસ્યોની કમિટીએ ડી.આર. કોંગોના ડૉ. ડેનિસ મુકવેગે અને મુસ્લિમ આતંકી સંગઠન આઇએસઆઇએસના આતંકનો ભોગ બનેલી યઝીદી રેપ પીડિતા નાદિયા મુરાદને નોબેલ શાંતિ પુરસ્કાર માટે પસંદ કર્યા છે. જાતીય હિંસા સામે અસરકારક ઝુંબેશ ચલાવવા અને મહિલા અધિકારો માટે ઉત્તમ કાર્ય કરવા માટે તેમને આ સન્માન આપવામાં આવ્યું છે. આ વર્ષે શાંતિ નોબેલ પુરસ્કાર માટે કુલ 331 (216 લોકો અને 115 સંસ્થાઓ)ના નામ સામેલ હતા. અત્યાર સુધી, 98 નોબલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યા છે. આ વર્ષે બુકી બજારમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયના તાનાશાહ કિમ જોંગ-ઉનનું નામ પણ તેમાં સામેલ હતું.
-
આખરે જેની રાહ જોવાતી હતી તે શાંતિ માટેના નોબેલ પુરસ્કારની જાહેરાત થઇ છે. અને કેટલીક અટકળો વચ્ચે તે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કે ઉત્તર કોરિયાના કિમ જોંગ-ઉનને મળ્યું નથી. શાંતિ માટેનું આ સન્માનિત પુરસ્કાર માટે ઓસ્લોમાં પાંચ સદસ્યોની કમિટીએ ડી.આર. કોંગોના ડૉ. ડેનિસ મુકવેગે અને મુસ્લિમ આતંકી સંગઠન આઇએસઆઇએસના આતંકનો ભોગ બનેલી યઝીદી રેપ પીડિતા નાદિયા મુરાદને નોબેલ શાંતિ પુરસ્કાર માટે પસંદ કર્યા છે. જાતીય હિંસા સામે અસરકારક ઝુંબેશ ચલાવવા અને મહિલા અધિકારો માટે ઉત્તમ કાર્ય કરવા માટે તેમને આ સન્માન આપવામાં આવ્યું છે. આ વર્ષે શાંતિ નોબેલ પુરસ્કાર માટે કુલ 331 (216 લોકો અને 115 સંસ્થાઓ)ના નામ સામેલ હતા. અત્યાર સુધી, 98 નોબલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યા છે. આ વર્ષે બુકી બજારમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયના તાનાશાહ કિમ જોંગ-ઉનનું નામ પણ તેમાં સામેલ હતું.