ફિલ્મ પદ્માવતના વિરોધમાં આજે ભારતબંધના એલાનને ધ્યાને લઇ ગુજરાત એસટી નિગમે ઉત્તર ગુજરાત તરફના એસટી રૂટ બંધ રાખ્યા છે. મહેસાણા, પાલનપુર સહિતના ડેપોમાં સુરક્ષા વધારી એસટી બસોને રોકી દેવામાં આવી છે. પદ્માવતના વિરોધમાં રાજપૂત ક્ષત્રિયોએ ઉત્તરગુજરાતમાં એસટી બસો સળગાવી હતી. એસટી બંધ રહેતા ગામડાંના લોકો પરેશાની ભોગવી રહ્યાના અહેવાલ છે.