કોલકાતાના માઝેરહાટ ખાતે ૪૦ વર્ષ જૂના એક પુલનો કેટલોક હિસ્સો તૂટી જતા બિનસત્તાવાર રીતે પાંચનાં મોતની આશંકા સેવાઈ રહી છે. પુલનાં કાટમાળ નીચે અનેક વ્યક્તિઓ તેમજ વાહનો દટાયા હોવાની ભીતિ સેવાઈ રહી છે. સત્તાવાળાઓના જણાવ્યા મુજબ એકનું મોત થયું હતું અને ૨૫ને ઈજા થઈ હતી. તેમને હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે.
કોલકાતાના માઝેરહાટ ખાતે ૪૦ વર્ષ જૂના એક પુલનો કેટલોક હિસ્સો તૂટી જતા બિનસત્તાવાર રીતે પાંચનાં મોતની આશંકા સેવાઈ રહી છે. પુલનાં કાટમાળ નીચે અનેક વ્યક્તિઓ તેમજ વાહનો દટાયા હોવાની ભીતિ સેવાઈ રહી છે. સત્તાવાળાઓના જણાવ્યા મુજબ એકનું મોત થયું હતું અને ૨૫ને ઈજા થઈ હતી. તેમને હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે.