-
મુંબઇની સીબીઆઇ કોર્ટના જજ બી.એચ. લોયાના શંકાસ્પદ મોતનો મામલો હવે સુપ્રિમ કોર્ટથી દેશના રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યો છે. વિપક્ષના અંદાજે 120 સાંસદો અને અન્ય નેતાઓએ આજે બપોર બાદ રાષ્ટ્રપતિ ભવન ખાતે એક આવેદનપત્ર આપીને ગુજરાતના ગેંગસ્ટર સોહરાબુદ્દીન એન્કાઉન્ટરનો કેસ ચલાવનાર જસ્ટીસ લોયાનું 2014માં એક લગ્ન સમારોહમાં હાજરી આપતી વખતે નિધન થયું હતું. કેટલાક સમય બાદ તેમનવા પરિવારજનોએ લોયાના નિધન અંગે શંકાઓ વ્યકત કરી હતી. જે અંગે સુપ્રિમ કોર્ટમાં હાલમાં કેસ ચાલી રહ્યો છે. તો બીજી તરફ કોંગ્રેસ સહિતના વિપક્ષનું એક પ્રતિનિધિમંડળે રાષ્ટ્રપતિ કોવિંદ સમક્ષ રજૂઆત કરીને જસ્ટીસ લોયાના મોતની ફરીથી તપાસના સરકારને આદેશ આપવા વિનંતી કરી હતી. એન્કાઉન્ટર કેસમાં ગુજરાતના એક રાજકીય કદાવર નેતાની સંડોવણી હોવાનું જે તે વખતે સીબીઆઇ જાહેર કરી હતી. જો કે 2014માં એ જ સીબીઆઇએ આ નેતાની સંડોવણી નહીં હોવાનું જણાવતાં તેમનો છૂટકારો થયો હતો.
-
મુંબઇની સીબીઆઇ કોર્ટના જજ બી.એચ. લોયાના શંકાસ્પદ મોતનો મામલો હવે સુપ્રિમ કોર્ટથી દેશના રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યો છે. વિપક્ષના અંદાજે 120 સાંસદો અને અન્ય નેતાઓએ આજે બપોર બાદ રાષ્ટ્રપતિ ભવન ખાતે એક આવેદનપત્ર આપીને ગુજરાતના ગેંગસ્ટર સોહરાબુદ્દીન એન્કાઉન્ટરનો કેસ ચલાવનાર જસ્ટીસ લોયાનું 2014માં એક લગ્ન સમારોહમાં હાજરી આપતી વખતે નિધન થયું હતું. કેટલાક સમય બાદ તેમનવા પરિવારજનોએ લોયાના નિધન અંગે શંકાઓ વ્યકત કરી હતી. જે અંગે સુપ્રિમ કોર્ટમાં હાલમાં કેસ ચાલી રહ્યો છે. તો બીજી તરફ કોંગ્રેસ સહિતના વિપક્ષનું એક પ્રતિનિધિમંડળે રાષ્ટ્રપતિ કોવિંદ સમક્ષ રજૂઆત કરીને જસ્ટીસ લોયાના મોતની ફરીથી તપાસના સરકારને આદેશ આપવા વિનંતી કરી હતી. એન્કાઉન્ટર કેસમાં ગુજરાતના એક રાજકીય કદાવર નેતાની સંડોવણી હોવાનું જે તે વખતે સીબીઆઇ જાહેર કરી હતી. જો કે 2014માં એ જ સીબીઆઇએ આ નેતાની સંડોવણી નહીં હોવાનું જણાવતાં તેમનો છૂટકારો થયો હતો.