ઓડિશાના ભદ્રક જિલ્લામાં હિન્દુ દેવિઓ વીશે સોશ્યલ મિડિયામાં વાંધાજનક ટિપ્પણી થતા કોમી તંગદિલી ફેલાઈ હતી. જો કે કોઈ હતાહતના સમાચાર નથી પણ કેન્દ્ર સરકારે ૨૦૦૦ જવાનોને તે શહેરમાં તૈનાત કરી દીધા હતા અને સ્થાનિક સત્તાવાળાઓએ શહેરમાં કરફ્યુ લાદી દીધો હતો. જ્યારે ધામનગર અને બાસુદેવપુરમાં ૧૪૪મી કલમ લગાવી દેવાઈ હતી.