બાંગ્લાદેશ એરફોર્સના ટ્રેઇનિંગ વિમાનના દુર્ઘટના સ્થળે વચગાળાની સરકારના ટોચના અધિકારીઓની મુલાકાત દરમિયાન મંગળવારે હજારો વિદ્યાર્થીઓએ દુર્ઘટનાની સાચી માહિતી આપવાની માંગ સાથે દેખાવો કર્યા હતાં.
દેશના સૌથી ઘાતક વિમાન અકસ્માત પૈકીના એકમાં મૃતકોની સંખ્યા વધીને ૩૧ થઇ ગઇ છે જેમાં ૨૫ બાળકો પણ સામેલ છે.