ગુજરાત મલ્ટીપ્લેક્ષ એસોસિએશનના પ્રેસિડેન્ટ મનુભાઈ પટેલે કહ્યું છે કે ગુજરાતના કોઇપણ થિયેટરમાં 25 જાન્યુઆરીએ વિવાદાસ્પદ ફિલ્મ પદ્માવત રીલિઝ નહીં થાય. સુરક્ષાની ખાતરી છતાં મંગળવારે આગચંપી અને તોડફોડની ઘટના પછી સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ ફિલ્મ ગુજરાતના કોઇપણ પ્રકારના થિયેટરમાં નહીં દર્શાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મંગળવારે રાત્રે અમદાવાદમાં ચાર મલ્ટીપ્લેક્ષ પર હુમલો થયો હતો.