રાજપૂત અને ક્ષત્રિયોના વિરોધ વચ્ચે પણ અમદાવાદમાં 10 મલ્ટીપ્લેક્ષ અને સિનેમાઘરમાં પદ્માવત ફિલ્મ રીલિઝ થશે. શહેરમાં આલ્ફાવન સીનેપોલીસ સિનેમા, હિમાલયા મોલ, એક્રોપોલીસ સીનેમા, ડ્રાઈ-ઇન સિનેમા, કે સેરા-સેરા, મુક્તા સિનેમા, સિનેમેક્ષ, પીવીઆર, રાજહંસ સિનેમા, પીવીઆર રેડકાર્પેટ, સિટી ગોલ્ડમાં લોખંડી સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ફિલ્મ દર્શાવાશે. સિનેમા ગૃહ માટે 10 એસઆરપીની પ્લાટુન અને ૧૦ પીએસઆઈ તૈનાત રહેશે.