વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે અમદાવાદની એક દિવસની મુલાકાતે આવનાર ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને તેમના પત્નિને નરેન્દ્ર મોદીએ જાતે ગાંધી આશ્રમ ફેરવ્યા હતા. હૃદયકુંજ ખાતે નરેન્દ્ર મોદી થોડાક સમય માટે નેતન્યાહુ દંપતિ માટે ગાઈડ બની ગયા હતા અને સાબરમતી આશ્રમની જાણકારી આપી હતી. હૃદયકુંજની બાજુમાં જ નરેન્દ્ર મોદી એને ઈઝરાયેલના વડાપ્રધાનને પતંગ પણ ચગાવી ત્યારે મોદીએ તેમની ફિરકી પકડી હતી.