-
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદમાં મતદાન કર્યા બાદ આતંકવાદનો ઉલ્લેખ કરીને આતંકીઓ દ્વારા બોંબ ધડાકામાં ઉપયોગમાં લોવાતા ઇમ્પ્રુવ્ડ એકઝપ્લોઝીવ ડિવાઇસ(આઇઇડી) અને વોટર આઇડી વચ્ચેની લડાઇ ચાલી રહી છે એમ કહીને વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ લડાઇમાં આખરે તો સૌથી શક્તિશળી એવા વોટર આઇડીની એટલે કે મતદારોની –લોકશાહીની જીત થશે. વડાપ્રધાને લોકશાહીના આ મહાપર્વમાં ભાગ લેનારા તમામ મતદારોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી આતંકવાદને હરાવવાની અપીલ કરી હતી. આતંકવાદ સામે આકરા પગલાં લેવાની પોતાની સરકારની નીતિ વિશે આડકતરો પુનરોચ્ચાર કરતાં તેમણે મતદારોને રીઝવવાનો પણ પ્રયાસ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીએ પ્રચારમાં અને તેમની રેલીઓમાં પોતાની સરકાર દ્વારા આતંકવાદ વિરુદ્ધ લેવાયેલા કડક પગલાંનો અનેકવાર ઉલ્લેખ કર્યો છે. વડાપ્રધાને પ્રથમવાર મતદાન કરી રહેલા યુવાનોને પણ પૂરી તાકાતથી મતદાન કરવા માટે અપીલ કરી હતી. નોંધનીય છે કે પુલવામામાં આતંકીઓએ આઇઇડી નો ઉપયોગ કરીને બોંબ ધડાકો કર્યો હતો.
-
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદમાં મતદાન કર્યા બાદ આતંકવાદનો ઉલ્લેખ કરીને આતંકીઓ દ્વારા બોંબ ધડાકામાં ઉપયોગમાં લોવાતા ઇમ્પ્રુવ્ડ એકઝપ્લોઝીવ ડિવાઇસ(આઇઇડી) અને વોટર આઇડી વચ્ચેની લડાઇ ચાલી રહી છે એમ કહીને વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ લડાઇમાં આખરે તો સૌથી શક્તિશળી એવા વોટર આઇડીની એટલે કે મતદારોની –લોકશાહીની જીત થશે. વડાપ્રધાને લોકશાહીના આ મહાપર્વમાં ભાગ લેનારા તમામ મતદારોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી આતંકવાદને હરાવવાની અપીલ કરી હતી. આતંકવાદ સામે આકરા પગલાં લેવાની પોતાની સરકારની નીતિ વિશે આડકતરો પુનરોચ્ચાર કરતાં તેમણે મતદારોને રીઝવવાનો પણ પ્રયાસ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીએ પ્રચારમાં અને તેમની રેલીઓમાં પોતાની સરકાર દ્વારા આતંકવાદ વિરુદ્ધ લેવાયેલા કડક પગલાંનો અનેકવાર ઉલ્લેખ કર્યો છે. વડાપ્રધાને પ્રથમવાર મતદાન કરી રહેલા યુવાનોને પણ પૂરી તાકાતથી મતદાન કરવા માટે અપીલ કરી હતી. નોંધનીય છે કે પુલવામામાં આતંકીઓએ આઇઇડી નો ઉપયોગ કરીને બોંબ ધડાકો કર્યો હતો.