પીએમ મોદી અને ભાજપ પ્રમુખ શાહ દ્વારા ચૂંટણી પ્રચારમાં કેટલાક ભડકાઉ ભાષણો કરીને તેમજ સેનાનો રાજકીય પ્રચાર માટે ઉલ્લેખ કરીને આચારસંહિતાનો ભંગ કરવામાં આવ્યો છે તેવી કોંગ્રેસનાં સાંસદની અરજીનાં મામલે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચ પાસે જવાબ માગ્યો છે. આ મુદ્દે ચૂંટણી પંચે મંગળવારે રાત્રે જાહેરાત કરી હતી કે, મોદી દ્વારા પ્રચાર દરમિયાન આચારસંહિતાનો ભંગ કરવામાં આવ્યો નથી. ચૂંટણી પંચે હાઈલેવલ મિટિંગ બાદ આ નિર્ણય જારી કર્યો હતો. આસામનાં સિલચરથી કોગ્રેસનાં સાંસદ અને ઓલ ઈન્ડિયા મહિલા કોંગ્રેસનાં પ્રમુખ સુસ્મિતા દેવ દ્વારા સુપ્રીમમાં અરજી કરાઈ હતી કે મોદી અને શાહ દ્વારા પ્રચારમાં આચારસંહિતાનો ભંગ કરાયો છે તેથી તેમની સામે કાનૂની પગલાં લેવામાં આવે.
પીએમ મોદી અને ભાજપ પ્રમુખ શાહ દ્વારા ચૂંટણી પ્રચારમાં કેટલાક ભડકાઉ ભાષણો કરીને તેમજ સેનાનો રાજકીય પ્રચાર માટે ઉલ્લેખ કરીને આચારસંહિતાનો ભંગ કરવામાં આવ્યો છે તેવી કોંગ્રેસનાં સાંસદની અરજીનાં મામલે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચ પાસે જવાબ માગ્યો છે. આ મુદ્દે ચૂંટણી પંચે મંગળવારે રાત્રે જાહેરાત કરી હતી કે, મોદી દ્વારા પ્રચાર દરમિયાન આચારસંહિતાનો ભંગ કરવામાં આવ્યો નથી. ચૂંટણી પંચે હાઈલેવલ મિટિંગ બાદ આ નિર્ણય જારી કર્યો હતો. આસામનાં સિલચરથી કોગ્રેસનાં સાંસદ અને ઓલ ઈન્ડિયા મહિલા કોંગ્રેસનાં પ્રમુખ સુસ્મિતા દેવ દ્વારા સુપ્રીમમાં અરજી કરાઈ હતી કે મોદી અને શાહ દ્વારા પ્રચારમાં આચારસંહિતાનો ભંગ કરાયો છે તેથી તેમની સામે કાનૂની પગલાં લેવામાં આવે.