-
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 23મી જાન્યુ.એ દાવોસ બેઠકમાં પોતાના સંબોધનમાં વિશ્વના નેતાઓ અને સીઇઓને હાકલ કરી કે આજના ભંગાણયુક્ત વિશ્વના વાતાવરણમાં વિશ્વના ભવિષ્ય માટે આવો સૌ સાથે મળીને કામ કરીએ. સંકૂચિતતામાંથી બહાર આવો. ભારત તે માટે પોતાનું યોગદાન આપવા તૈયાર છે. ભારતે નેપાળ સહિત અનેક દેશોને તેમની મુશ્કેલીમાં મદદ કરી છે. નેપાળને ભૂકંપ વખતે સહાયતા આપી છે. વિશ્વ શાંતિ માટે કામ કરનાર સંયુક્ત રાષ્ટ્ર સંધને સૌથી વધુ પોતાનું સૈન્ય બળ આપ્યું છે. વિશ્વના દેશો પોતાના દેશની સરહદો બંધ કરવાને બદલે માનવ સમાજ માટે દરવાજા ખોલે તે જના સમયની માંગ છે. સંરક્ષણવાદની નીતિમાંથી વિશ્વના કેટલાક દેશો બહાર આવે તે પણ જરૂરી છે.
-
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 23મી જાન્યુ.એ દાવોસ બેઠકમાં પોતાના સંબોધનમાં વિશ્વના નેતાઓ અને સીઇઓને હાકલ કરી કે આજના ભંગાણયુક્ત વિશ્વના વાતાવરણમાં વિશ્વના ભવિષ્ય માટે આવો સૌ સાથે મળીને કામ કરીએ. સંકૂચિતતામાંથી બહાર આવો. ભારત તે માટે પોતાનું યોગદાન આપવા તૈયાર છે. ભારતે નેપાળ સહિત અનેક દેશોને તેમની મુશ્કેલીમાં મદદ કરી છે. નેપાળને ભૂકંપ વખતે સહાયતા આપી છે. વિશ્વ શાંતિ માટે કામ કરનાર સંયુક્ત રાષ્ટ્ર સંધને સૌથી વધુ પોતાનું સૈન્ય બળ આપ્યું છે. વિશ્વના દેશો પોતાના દેશની સરહદો બંધ કરવાને બદલે માનવ સમાજ માટે દરવાજા ખોલે તે જના સમયની માંગ છે. સંરક્ષણવાદની નીતિમાંથી વિશ્વના કેટલાક દેશો બહાર આવે તે પણ જરૂરી છે.