- શાહજહાં દ્વારા 12, મે 1638માં બંધાયેલા ઐતિહાસિક દિલ્હીના લાલ કિલ્લા પર આજે 21 ઓક્ટોબરે એક નવો ઇતિહાસ રચાઇ ગયો હતો. 1947થી ભારતના વડાપ્રધાનના હસ્તે વર્ષમાં માત્ર એક જ વાર 15 ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પર તિરંગો લહેરાતો આવ્યો છે. પરંતુ વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટ 2018ના રોજ લાલ કિલ્લા પર તિરંગો લહેરાવ્યાં બાદ આજે 21 ઓક્ટોબરે આઝાદ હિન્દ ફૌજની સ્થાપના કરનાર સુભાષચંદ્ર બોઝને યાદ કરીને બોઝ જેવી જ ટોપી ધારણ કરીને ફરી એક વાર તિરંગો લહેરાવીને ભારતના ઇતિહાસમાં એક નવી પરંપરાનું સર્જન કર્યું હતું. તે સાથે લાલ કિલ્લા પર વડા પ્રધાન દ્વારા માત્ર એક જ દિવસ 15 ઓગસ્ટના રોજ તિરંગો લહેરાય તે માન્યતા પણ ખોટી પાડી હતી. આજના દિવસે 1943માં બોઝ દ્વારા ભારતની આઝાદીની લડાઇ માટે ફૌજની સ્થાપના કરવામાં આવી હતી અને તેને 75 વર્ષ પૂરા થયાંની ઉજવણીમાં મોદીએ લાલ કિલ્લા પરથી તિરંગો લહેરાવ્યો હતો.
- શાહજહાં દ્વારા 12, મે 1638માં બંધાયેલા ઐતિહાસિક દિલ્હીના લાલ કિલ્લા પર આજે 21 ઓક્ટોબરે એક નવો ઇતિહાસ રચાઇ ગયો હતો. 1947થી ભારતના વડાપ્રધાનના હસ્તે વર્ષમાં માત્ર એક જ વાર 15 ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પર તિરંગો લહેરાતો આવ્યો છે. પરંતુ વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટ 2018ના રોજ લાલ કિલ્લા પર તિરંગો લહેરાવ્યાં બાદ આજે 21 ઓક્ટોબરે આઝાદ હિન્દ ફૌજની સ્થાપના કરનાર સુભાષચંદ્ર બોઝને યાદ કરીને બોઝ જેવી જ ટોપી ધારણ કરીને ફરી એક વાર તિરંગો લહેરાવીને ભારતના ઇતિહાસમાં એક નવી પરંપરાનું સર્જન કર્યું હતું. તે સાથે લાલ કિલ્લા પર વડા પ્રધાન દ્વારા માત્ર એક જ દિવસ 15 ઓગસ્ટના રોજ તિરંગો લહેરાય તે માન્યતા પણ ખોટી પાડી હતી. આજના દિવસે 1943માં બોઝ દ્વારા ભારતની આઝાદીની લડાઇ માટે ફૌજની સ્થાપના કરવામાં આવી હતી અને તેને 75 વર્ષ પૂરા થયાંની ઉજવણીમાં મોદીએ લાલ કિલ્લા પરથી તિરંગો લહેરાવ્યો હતો.