કિર્ગિઝસ્તાનની રાજધાની બિશ્કેકમાં ૧૩ અને ૧૪ જૂને થનારી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (એસસીઓ)ની બેઠકમાં ભાગ લેવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી જવાના છે અને આ હવાઈ પ્રવાસ માટે પાકિસ્તાને તેના એર સ્પેસને ખોલી દીધો હોવા છતાં પીએમ મોદી ઓમાનના માર્ગે બિશ્કેક જશે. પાકિસ્તાને આપેલી ઓફરને ભારતે સૈદ્ધાંતિક રીતે સ્વીકારી હતી પણ પીએમ મોદી પાકિસ્તાન પર થઈને બિશ્કેક નહીં જાય. પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાન પણ આ બેઠકમાં ભાગ લેવાના છે.
કિર્ગિઝસ્તાનની રાજધાની બિશ્કેકમાં ૧૩ અને ૧૪ જૂને થનારી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (એસસીઓ)ની બેઠકમાં ભાગ લેવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી જવાના છે અને આ હવાઈ પ્રવાસ માટે પાકિસ્તાને તેના એર સ્પેસને ખોલી દીધો હોવા છતાં પીએમ મોદી ઓમાનના માર્ગે બિશ્કેક જશે. પાકિસ્તાને આપેલી ઓફરને ભારતે સૈદ્ધાંતિક રીતે સ્વીકારી હતી પણ પીએમ મોદી પાકિસ્તાન પર થઈને બિશ્કેક નહીં જાય. પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાન પણ આ બેઠકમાં ભાગ લેવાના છે.