મહારાષ્ટ્ર ભાજપના પ્રવક્તા અવધૂત વાઘે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે, દેશનું સૌભાગ્ય છે કે અમને મોદીના રૂપમાં ભગવાન જેવા નેતા મળ્યા છે અગાઉ તેમણે ટ્વીટર પર યદ-યદા હી ધર્મસ્ય લખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભગવાન વિષ્ણુના અગ્યારમાં અવતાર ગણાવ્યા હતા. તેઓ આ ટ્વીટ બાદ સોશ્યિલ મીડિય પર ટ્રોલ થયા હતા. હુમલો કરવા ટાપીને બેઠેલા વિપક્ષને પણ એક મુદ્દો મળી ગયો છે.