રાજપૂત અને ક્ષત્રિયો દ્વારા ફિલ્મ પદ્માવતનો વિરોધ ચાલુ છે અને અમદાવાદમાં કોઇ મલ્ટીપ્લેક્ષમાં તે રજૂ નથી થવાની છતાં સુરક્ષાના કારણોસર સમગ્ર શહેરને પોલીસ છાવણીમાં ફેરવી દેવાયો હોય તેમ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. દરેક મોલ સિનેમાગૃહની બહાર રેપિડ એક્શન ફોર્સની સાથે સ્થાનિક પોલીસના જવાનો ગોઠવી દેવાયા છે. સરકાર અને પોલીસતંત્રે નાગરિકોને શાંતિ જાળવવા અપીલ કરી છે.