અમદાવાદમાં મંગળવારે રાત્રે ફિલ્મ પદ્માવતના વિરોધના નામે હિંસક હુમલાઓ પછી ડીજીપી પ્રમાદકુમારે શહેર પોલીસ કમિશ્નર એ કે શર્મા સાથે ચર્ચા કરી હતી. સીપીએ કહ્યું કે પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવી લીધો છે. તોફાન કરનારાઓ સામે કડક પગલાં લેવાશે. અગાઉ કમિશ્નરે સુરક્ષાની ખાતરી આપ્યા પછી અમદાવાદના આ મલ્ટીપ્લેક્ષમાલિકોએ પદ્માવત રીલિઝ કરવાનો નિર્ણય કર્યો હતો.