ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીકના ઢુંઢેર ગામ ખાતે ૧૪ મહિનાની બાળકી પર બળાત્કારની જઘન્ય ઘટના બાદ રાજ્યમાં પરપ્રાંતીઓ અને વિશેષ ઉત્તર પ્રદેશ, બિહાર અનેમધ્ય પ્રદેશનાં હિન્દી ભાષીઓ સામે પ્રવર્તી રહેલા રોષની આગને ઠારવાને બદલે રાજકીય પક્ષોએ રોટલા શેકવાનું શરૂ કરી આરોપ-પ્રત્યારોપનો મારો શરૂ કરી દીધો હતો. ગુજરાતમાં પરપ્રાંતીઓ પર હુમલા, ધમકીઓ બાદ મોટાપાયે થયેલી હિજરત માટે ભાજપ અને જનતાદળ(યુ)એ કોંગ્રેસને જવાબદાર ગણાવી છે. બીજીતરફ કોંગ્રેસે આ મામલે પીએમ મોદી પાસે જવાબ માગ્યો છે. ભાજપે ગુજરાતમાં થયેલી હિંસા માટે કોંગ્રેસને જવાબદાર ગણાવી હતી.
ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીકના ઢુંઢેર ગામ ખાતે ૧૪ મહિનાની બાળકી પર બળાત્કારની જઘન્ય ઘટના બાદ રાજ્યમાં પરપ્રાંતીઓ અને વિશેષ ઉત્તર પ્રદેશ, બિહાર અનેમધ્ય પ્રદેશનાં હિન્દી ભાષીઓ સામે પ્રવર્તી રહેલા રોષની આગને ઠારવાને બદલે રાજકીય પક્ષોએ રોટલા શેકવાનું શરૂ કરી આરોપ-પ્રત્યારોપનો મારો શરૂ કરી દીધો હતો. ગુજરાતમાં પરપ્રાંતીઓ પર હુમલા, ધમકીઓ બાદ મોટાપાયે થયેલી હિજરત માટે ભાજપ અને જનતાદળ(યુ)એ કોંગ્રેસને જવાબદાર ગણાવી છે. બીજીતરફ કોંગ્રેસે આ મામલે પીએમ મોદી પાસે જવાબ માગ્યો છે. ભાજપે ગુજરાતમાં થયેલી હિંસા માટે કોંગ્રેસને જવાબદાર ગણાવી હતી.