જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ આસમાનને આંબી રહ્યા છે. ત્યારે જ સરકારે પીપીએફ, કિસાન વિકાસ પત્ર તથા સુકન્યા સમૃદ્ધિ યોજના જેવી નાની બચત યોજનાઓ પર એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળાના વ્યાજ દરમાં 0.1 ટકાનો ઘટાડો કરી નોખ્યો છે. સરકારના આ પગલાને લીધે બેન્કો પણ ટૂંક સમયમાં ડિપોઝિટના વ્યાજ દર ઘટાડે તેવી શક્યતા છે.