જાણીતા વકીલ પ્રશાંત ભૂષણે ઉત્તર પ્રદેશ સરકારની એન્ટી રોમિયો સ્ક્વોડની ટીકા કરી. રોમિયોએ તો એક સ્ત્રીને પ્રેમ કર્યો હતો, પરંતુ ભગવાન શ્રીકૃષ્ણ સૌથી મોટા છેડતીબાજ હતા. તો શું યોગી આદિત્ય એન્ટી ક્રિશ્ના સ્કવોડ નામ આપશે. એવું ટવીટ કરતાં દેશમાં વિરોધનો વંટોળ સર્જાયો. દેશભરમાં તેમના સામે પોલીસમથકોએ અરજીનો દોર શરુ થયો. બાદમાં તેમણે સ્પષ્ટતા કરી કે તેમના ટવીટનું ખોટું અર્થઘટન કરાયું.