વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેની તરફેણ કરે છે એવા એક રાષ્ટ્ર-એક ચુનાવ વિચારને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ સમર્થન જાહેર કર્યું છે. તેમણે કહ્યું કે વિવિધ રાજ્યોમાં ટૂંકા સમયાંતરે યોજાતી ચૂંટણીઓની અસર વિકાસકાર્યો પર પડે છે. એક રાષ્ટ્ર-એક ચુનાવનો હેતુ નાણાંખર્ચ અને સમયશક્તિ બચાવવાનો છે. વિધાનસભાઓ અને લોકસભાની ચૂંટણી સાથે યોજવા એક રાષ્ટ્ર-એક ચુનાવ અભિયાન છેડાયું છે.