કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં પસાર કરાયેલા ત્રણ કૃષિબિલને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા મંજૂરી આપવામાં આવ્યા પછી સોમવારે દેશભરમાં તેની સામે વિરોધપ્રદર્શન અને દેખાવો ચાલુ રહ્યા હતા. કોંગ્રેસ, એસએડી, ટીએમસી તેમજ અન્ય વિરોધ પક્ષો તેમજ ખેડૂત સંગઠનો દ્વારા કર્ણાટક, તામિલનાડુ, દિલ્હી, પંજાબ અને યુપી સહિત ઠેરઠેર બિલના વિરોધમાં દેખાવો કરવામાં આવ્યા હતા. કેરળના કોંગ્રેસ સાંસદ ટી એન પ્રથપન દ્વારા ત્રણ પૈકી બે કૃષિબિલને સૌ પહેલાં સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યા હતા. ફાર્મર્સ એમ્પાવરમેન્ટ એન્ડ પ્રોટેકશન એગ્રીમેન્ટ ઓફ પ્રાઇસ એશ્યોરન્સ તેમજ ફાર્મ સર્વિસિસ એક્ટને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરાઈ હતી. કાયદાનું સ્વરૂપ લીધેલા આ બિલ ગેરબંધારણીય અને ગેરકાનૂની હોવાની દલીલ કરીને તેને રદ કરવા માગણી કરાઈ હતી. ઔદ્યોગિક કામદારોની જેમ ખેડૂતો માટે પણ અલગ ટ્રિબ્યૂનલ રચવા માગણી કરાઈ હતી.
કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં પસાર કરાયેલા ત્રણ કૃષિબિલને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા મંજૂરી આપવામાં આવ્યા પછી સોમવારે દેશભરમાં તેની સામે વિરોધપ્રદર્શન અને દેખાવો ચાલુ રહ્યા હતા. કોંગ્રેસ, એસએડી, ટીએમસી તેમજ અન્ય વિરોધ પક્ષો તેમજ ખેડૂત સંગઠનો દ્વારા કર્ણાટક, તામિલનાડુ, દિલ્હી, પંજાબ અને યુપી સહિત ઠેરઠેર બિલના વિરોધમાં દેખાવો કરવામાં આવ્યા હતા. કેરળના કોંગ્રેસ સાંસદ ટી એન પ્રથપન દ્વારા ત્રણ પૈકી બે કૃષિબિલને સૌ પહેલાં સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યા હતા. ફાર્મર્સ એમ્પાવરમેન્ટ એન્ડ પ્રોટેકશન એગ્રીમેન્ટ ઓફ પ્રાઇસ એશ્યોરન્સ તેમજ ફાર્મ સર્વિસિસ એક્ટને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરાઈ હતી. કાયદાનું સ્વરૂપ લીધેલા આ બિલ ગેરબંધારણીય અને ગેરકાનૂની હોવાની દલીલ કરીને તેને રદ કરવા માગણી કરાઈ હતી. ઔદ્યોગિક કામદારોની જેમ ખેડૂતો માટે પણ અલગ ટ્રિબ્યૂનલ રચવા માગણી કરાઈ હતી.